શેખ હસીનાની જીતથી ભારત ખુશ, પાડોશી દેશોને આ કારણે લાગ્યા મરચાં

બાંગ્લાદેશમાં ફરીથી શેખ હસીના સત્તામાં આવશે અને એના કારણે પાડોશી દેશોની ચિંતા વધી ગઈ છે. કારણ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો પણ મહત્વના છે.

Share:

હાઈલાઇટ્સ

  • શેખ હસીના ફરીથી સત્તામાં આવશે, ભારતના હિતમાં
  • બાંગ્લાદેશની રણનીતિ દક્ષિણ એશિયામાં મહત્વની
  • ફરીથી સત્તામાં આવ્યા અને પાડોશી દેશોને ચિંતા થઈ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી છે. તેઓ હવે આ જીત સાથે સતત ચોથીવાર કાર્યાકાળ સંભાળશે. તેમની પાર્ટી આવામી લીગ હવે ફરી સત્તામાં આવી શકે છે. આ સિવાય આ જીતની સાથે વિપક્ષી દળ બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ તેમના સહયોગીઓના બહિષ્કાર સાથે ચૂંટણીમાં બે તૃત્યાંશ સીટ પર જીત હાંસલ કરી છે. બાંગ્લાદેશની 12મી સામાન્ય ચૂંટણીના ઈતિહાસમાં સૌથી ઓછું પણ 40 ટકા મતદાન થયું છે. 

શેખ હસીનાની જીત 
જો કે, શેખ હસીનાની જીતને ભારત માટે ફાયદાકારક માનવામાં આવી રહી છે. શેખ હસીના ભારતના એક વિશ્વાસપાત્ર સહયોગી સાબિત થયા છે અને તેમની સત્તામાં વાપસી નવી દિલ્હીના હિતમાં છે. શેખ હસીનાના જોરદાર વિરોધી ખાલિદા જીયાના નેતૃત્વવાળી પાર્ટી બીએનપીને ભારત સરકાર દુશ્મન માને છે. કેટલાંક લોકો તો એવું કહી રહ્યા છે કે આ પાર્ટી પાકિસ્તાન તરફી છે. શેખ હસીનાએ છેલ્લાં દોઢ દાયકાના કાર્યકાળમાં બંને દેશો વચ્ચે સારા સંબંધ રાખ્યા છે. બંને પક્ષો દ્વારા એકબીજાની સંવેદનશીલતા જાળવી રાખવામાં આવી હતી. 

પાડોશી દેશોને લાગ્યા મરચા 
જો કે, ભારત પહેલેથી જ બાંગ્લાદેશમાં ચીની હસ્તક્ષેપ થાય એનાથી સાવધાન હતું. પોતાના પાડોશી દેશો પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખાવમાં વિશ્વાસ રાખે છે. બાંગ્લાદેશની રણનીતિ દક્ષિણ એશિયામાં મહત્વની છે. બાંગ્લાદેશ લગભગ ભારતથી ઘેરાયેલો દેશ છે. મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આસામ અને પશ્ચિમ બંગાળની સાથે સરહદ શેર થાય છે.  
 
વાપસી ભારતના હિતમાં 
શેખ હસીનાની સત્તામાં ફરી વાપસી થવાથી એ ભારતના હિતમાં છે. ભારતમાં કોઈ પણ સરકાર આ વાસ્તવિકતાને નજર અંદાજ કરી શકે એમ નથી. કારણ કે 1996-2001 દરમિયાન અને પછી 2009 બાદ શેખ હસીનાના શાસનમાં નવી દિલ્હીની સુરક્ષા એજન્સીઓએ બાંગ્લાદેશી એજન્સીઓનો સહયોગ મળ્યો હતો. બાંગ્લાદેશમાં ભારત વિરોધી ગતિવિધીઓ પર અંકુશ રાખવા માટે ખૂબ પ્રયાસ થયા. જો કે, હવે તેમની વાપસી થતા પાડોશી દેશોને થોડા મરચા લાગ્યા છે.