નવા વર્ષે જાપાનમાં 7.4ની તીવ્રતાના ભૂકંપથી તબાહી, દરિયો તોફાની બન્યો... સુનામીનું એલર્ટ

અહેવાલ મુજબ સોમવારે ઉત્તર મધ્ય જાપાનમાં નોંધપાત્ર 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેથી જાપાનની હવામાન એજન્સીએ પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ મચી ગઈ
  • હવામાન વિભાગે લોકોને ઊંચી જગ્યાએ જવાની સલાહ આપી

જાપાન ફરી એકવાર જોરદાર ભૂકંપથી હચમચી ગયું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ભૂકંપ પ્રભાવિત પ્રાંતમાં સમુદ્રનું સ્તર જોખમના સ્તરે પહોંચી ગયું છે અને લોકોને તેમના ઘર ખાલી કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નવા વર્ષે જ જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેના કારણે તબાહીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

ભૂકંપનો લાઈવ વીડિયો

 

હવામાન વિભાગ સાથે સંકળાયેલા જાપાની અધિકારીઓના જણાવ્યા અનુસાર સુનામીના કારણે દરિયાઈ મોજા 5 મીટર ઉંચા ઉછળી શકે છે. આ ચેતવણીઓ હવાઈ સ્થિત પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર અને જાપાન હવામાન એજન્સી બંને તરફથી આવે છે, જે પરિસ્થિતિની ગંભીરતાને દર્શાવે છે.તેથી, લોકોને શક્ય તેટલી વહેલી તકે ઊંચી જમીન અથવા નજીકની ઇમારતની ટોચ પર દોડી જવા વિનંતી કરવામાં આવી છે.

જાપાનમાં ભારતીય દૂતાવાસે મજબૂત ભૂકંપ અને સુનામીની ચેતવણીને પગલે ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી સંપર્ક નંબર જારી કર્યા છે.

કેટલી સ્પીડ... કેટલી ખતરનાક?
ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા 10 ગણો વધુ ખતરનાક હોય છે.

  • 0થી 1.9ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા જ શોધી શકાય છે.
  • જ્યારે 2થી 2.9ની તીવ્રતાનો ધરતીકંપ આવે છે ત્યારે થોડું કંપન થાય છે.
  • 3થી 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • 4થી 4.9ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડોઝ તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • 5થી 5.9ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • 6થી 6.9ની તીવ્રતાનો ધરતીકંપ ઈમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • 7થી 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે. ભૂગર્ભમાં પાઈપલાઈન તૂટવા લાગે છે.
  • 8થી 8.9ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • 9 કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

ચાર પ્રકારના હોય છે ધરતીકંપ

  1. Induced Earthquake: એટલે કે એ ભૂકંપ જે માનવીય પ્રવૃત્તિઓને કારણે થાય છે. જેમ કે ટનલ ખોદવી, કોઈપણ પાણીના સ્ત્રોતને ભરવા અથવા કોઈપણ પ્રકારના મોટા ભૂસ્તરશાસ્ત્રીય અથવા ભૂ-ઉષ્મીય પ્રોજેક્ટ્સ બનાવવા. ડેમના નિર્માણને કારણે પણ ભૂકંપ આવે છે.
  2. Volcanic Earthquake:એટલે કે જ્વાળામુખી ફાટ્યા પહેલા, દરમિયાન કે પછી જે ધરતીકંપો થાય છે. આ ધરતીકંપો ગરમ લાવા અને તેની સપાટી હેઠળના પ્રવાહને કારણે થાય છે.
  3. Collapse Earthquake:એટલે કે નાના ધરતીકંપો જે જમીનની અંદર રહેલી ગુફાઓ અને ટનલોના ભંગાણને કારણે રચાય છે. તેઓ ભૂગર્ભમાં થતા નાના વિસ્ફોટોને કારણે પણ આવે છે.
  4. Explosion Earthquake: આ પ્રકારનો ધરતીકંપ પરમાણુ વિસ્ફોટ અથવા રાસાયણિક વિસ્ફોટથી થાય છે.