Surat: સુરતમાં બે બસો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત અને આઠ ઘાયલ

Surat Accident: સુરતમાં બે બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ છે અને 8 લોકો ઘાયલ થયા છે.

Share:

હાઈલાઇટ્સ

  • સુરતમાં બે બસ વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત
  • અકસ્માતમાં બે લોકોનાં મોત અને આઠ લોકો ઘાયલ
  • પાંચેક જેટલી બાઈકો પણ ચગદાઈ ગઈ હતી

સુરતઃ  સુરતમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. સુરતના કતારગામ નવી જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની હતી. પ્રમુખસ્વામી મહારાજ બ્રીજ ઉતરતા બે બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક બસ બીજીની પાછળ ઘૂસી ગઈ હતી. આ બસોની વચ્ચે પાંચેક જેટલી બાઈકો પણ આવી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને આઠ લોકોનાં મોત થયા છે. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

એકનું મોત અને આઠ ઘાયલ 
બનાવની વિગતો એવી છે કે, સુરતના કતારગામમાં આવેલી નવી જીઆઈડીસી વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. બે બીઆરટીએસ બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પાસે બે બસો ધડાકાભેર અથડાઈ હતી. જે બાદ પાંચેક જેટલી બાઈકો પણ ચગદાઈ ગઈ હતી. ત્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાંક લોકોની હાલત ગંભીર હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે. 

વીડિયો આવ્યો સામે 
બનાવના પગલે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસની ટીમ પહોંચી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે ચોંકાવનારો છે.