Ahmedabad: ગઢડાના એસપી સ્વામીની કારે સર્જ્યો ભયંકર અકસ્માત, પોલીસચોકીમાં જ ઘુસી

અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા થલતેજમાં એક જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એસપી સ્વામીની કાર દ્વારા સર્જાયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • ગઢડા એસપી સ્વામીની કારે સર્જ્યો અકસ્માત
  • થલતેજ પોલીસ ચોકીમાં ઘુસાડી દીધી કાર
  • પોલીસ ચોકીને થયું ભારે નુકસાન, તપાસ હાથ ધરાઈ

અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં એક જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ગઢડાના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી એસપી સ્વામીની કાર દ્વારા સર્જાયો હતો. આ અકસ્માત પછી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અમદાવાદની ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

પોલીસચોકીમાં ઘુસી કાર 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રાફિક પોલીસની ચોકી આવેલી છે. આ ટ્રાફિક પોલીસની ચોકીમાં જ ગઢડા એસપી સ્વામીની કાર ધુસી ગઈ હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ કાર સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામી ચલાવી રહ્યા હતા. જેઓની કાર થલતેજ ટ્રાફિક પોલીસની ચોકીમાં ઘુસી ગઈ હતી. કોઈ કારણોસર કાર પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે, પોલીસ હાલ તપાસ કરી રહી છે. 

કોઈ જાનહાનિ નહીં 
કાર સીધી જ પોલીસ ચોકીમાં ઘુસી જતા તેને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. તેમની કાર કેટલી સ્પીડમાં હતી એ સહિતની માહિતી મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. ખરે, આ મામલે પોલીસ તપાસમાં જ સાચુ કારણ જાણવા મળશે અને સામે આવશે.