જો ટ્રક ડ્રાઈવરોની હળતાળ લાંબી ચાલી તો, શાકભાજી-દૂધ સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખૂટી જશે

સરકારના આ નિર્ણય બાદ ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે આ સંપૂર્ણપણે ખોટું છે. સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે.

Share:

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં આખા દેશમાં ટ્રક અને ડંપર ચાલકોએ ચક્કાજામ કરી દિધો છે. તેમનું કહેવું છે કે, આ કાયદો એકદમ ખોટો છે અને આને પાછો લેવો જોઈએ. આ જ માંગને લઈને મુંબઈ, ઈન્દોરથી લઈને દિલ્હી, હરિયાણા, યુપી સહિત કેટલીય જગ્યાએ ટ્રક ચાલકોએ પોતાના ટ્રકો રોડ પર જ ઉભા રાખી દિધા છે. 

હકીકતમાં કેન્દ્ર સરકારે ગુનાને લઈને નવા કાયદા બનાવ્યા છે જે અંતર્ગત કોઈ ટ્રક અથવા ડંપર ચાલક કોઈને કચડીને ભાગી જાય તો તેને 10 વર્ષની જેલની સજા થશે. આ સિવાય 7 લાખ રૂપીયા જેટલો દંડ પણ ભરવો પડશે. પહેલા આ પ્રકારના કેસમાં ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાંથી જ જમાનત મળી જતી હતી. 

નવા કાયદા સામે ટ્રક ચાલકોમાં રોષ
સરકારના આ નિર્ણય બાદ ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે આ સંપૂર્ણપણે ખોટું છે. સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. આ અંગે, ટ્રક ચાલકોએ ગ્રેટર નોઈડાના ઈકોટેક 3 વિસ્તારમાં તેમના વાહનો પાર્ક કર્યા અને રોડ બ્લોક કરી દીધો અને સૂત્રોચ્ચાર કર્યા. જોકે, પોલીસની સમજાવટ બાદ તેઓએ પોતાના વાહનો હટાવ્યા હતા.

ઈન્દોરમાં પણ ચક્કાજામ
મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પેટ્રોલ પંપ પર પણ પડી હતી. અહીના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરોની આ હડતાલ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. જેના કારણે પેટ્રોલ પંપ સુધી ઈંધણ પહોંચી શકશે નહીં. આ સમાચાર ફેલાતાની સાથે જ લોકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ.


મુંબઈમાં ટ્રક ડ્રાઈવરો હડતાળ પર છે
મધ્યપ્રદેશ, દિલ્હી તેમજ મહારાષ્ટ્રમાં હડતાલની અસર જોવા મળી હતી. જ્યાં સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કાયદાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની હડતાળને કારણે માર્ગો પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.

દેવાસમાં વાહનચાલકોનો રોષ
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં બસ અને ટ્રક ચાલકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેઓએ શહેરમાં 2-3 જગ્યાએ રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રસૂલપુર બાયપાસ પર બે કલાક સુધી નાકાબંધી કરી દેવામાં આવી હતી જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અહીં પોલીસ અને પ્રશાસનના ખુલાસા છતાં વાહનચાલકો રાજી ન થયા અને દેખાવો ચાલુ રાખ્યા.

પન્નામાં ટ્રકોના પૈડા થંભી ગયા
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં બસ અને ટ્રક ચાલકોએ નેશનલ હાઈવે-39ને બ્લોક કરી દીધો હતો. બસ ચાલકોની હડતાળના કારણે મુસાફરો પણ પરેશાન થયા હતા. જેને લઈને માર્ગો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આ દરમિયાન તેઓએ 'કાળો કાયદો પાછો લો'ના નારા પણ લગાવ્યા હતા.

રાજસ્થાનના હનુમાનગઢમાં પણ પ્રદર્શન
રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં પણ ટ્રક અને બસના ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ હાઈવે બ્લોક કરીને આ કાયદાનો વિરોધ કર્યો હતો. આ પછી ડ્રાઈવરો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા, જ્યાં તેમણે સરકાર અને પ્રશાસનને કડક ચેતવણી પણ આપી.

આજે પણ ટ્રક ડ્રાઈવર્સની હળતાળ ચાલુ રહેતા પશ્ચિમ અને ઉત્તરભારતમાં ઈંધણનો સ્ટોક સમાપ્ત થઈ ગયો છે. 2000 જેટલા પેટ્રોલપંપ ઠપ્પ થઈને પડ્યા છે. 
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબના કેટલાક પેટ્રોલ પંપો ભારે ધસારાને કારણે સ્ટોક સમાપ્ત થઈ ગયા હતા, ઉદ્યોગ અધિકારીઓએ જણાવ્યું હતું.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી છે. કારણ કે, જેવી લોકોને ખબર પડી કે પેટ્રોલ પૂરું થઈ રહ્યું છે કે તુંરત જ લોકો પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવા દોડ્યા હતા. લોકોમાં અત્યારે ગભરાટ ફેલાયો છે. 

જો હજી ત્રણ દિવસ હડતાળ લંબાવવામાં આવી તો શાકભાજી, ફળો અને દૂધના પુરવઠાને પણ અસર થઈ શકે છે. 

અધિકારીઓ અનુસાર, મોટાભાગના પેટ્રોલ પંપો પાસે 2-3 દિવસનો સ્ટોક હોય છે અને જો હડતાલ ત્રણ દિવસ સુધી ચાલવાની હોય તો તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. જો કે, જો હડતાલ લંબાવવામાં આવશે અથવા સમગ્ર ભારતમાં વિરોધ કરવામાં આવશે તો મુશ્કેલી થશે, એમ તેઓએ ઉમેર્યું હતું.

લગભગ 1 લાખ ટ્રકો છે જે પેટ્રોલ અને ડીઝલ તેમજ એલપીજી ઓઈલ કંપનીના ડેપોથી લઈને પેટ્રોલ પંપ અને ગેસ વિતરણ એજન્સીઓ સુધી લઈ જાય છે. હડતાલને કારણે કેટલાક પશ્ચિમી અને ઉત્તરીય રાજ્યોમાં ટ્રકોની અવરજવરને અસર થઈ છે, તેઓએ જણાવ્યું હતું કે, કેટલાક એલપીજી ટ્રકની અવરજવરને પણ અસર થઈ છે.

Tags :