Mahesana: ખેરાલુમાં રામ મંદિર શોભા યાત્રા પર પથ્થરમારો, પોલીસે 10 રાઉન્ડ ટીયર ગેસ સેલ છોડ્યા

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા હાલ તો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે, ધાર્મિક સ્થળોએ વાજિંત્રો વગાડવા બાબતે બે જૂથો વચ્ચે તકરાર થઇ હતી. જો કે આ મામલે હજુ તંત્ર દ્વારા સચોટ જાણકારી આપવામાં આવી નથી.

Share:

ખેરાલુમાં રામ મંદિર શોભા યાત્રા પર પથ્થરમારાની ઘટના બની છે. ખેરાલુના હાટડીયા વિસ્તાર ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પથ્થરમારાના બનાવના કારણે હાલ માહોલ તંગદિલી ભર્યો છે. પોલીસ 10 રાઉન્ડ ટીયર ગેસ સેલ છોડ્યા છે. જો કે પથ્થરમારો કેમ થયો એ બાબતે હાલ કોઈ આધિકારીક માહિતી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી.

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા હાલ તો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે, ધાર્મિક સ્થળોએ વાજિંત્રો વગાડવા બાબતે બે જૂથો વચ્ચે તકરાર થઇ હતી. જો કે આ મામલે હજુ તંત્ર દ્વારા સચોટ જાણકારી આપવામાં આવી નથી.