મણીપુરથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆતઃ રાહુલે BJP - મોદી પર કર્યા આકરા પ્રહારો!

રાહુલ ગાંધીએ કહ્યું કે આજ સુધી ભારતના વડાપ્રધાનને મણિપુર જવાનો સમય મળ્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મોદીજી, કદાચ મણિપુર ભાજપ અને આરએસએસ માટે ભારતનો ભાગ નથી.

Share:

હાઈલાઇટ્સ

  • રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે નફરતને નાબૂદ કરવાની અને ભારતને એક સાથે બાંધવાની વાત કરી છે
  • અમારી પાસે સમય ઓછો હોવાથી અમે બસોનો ઉપયોગ કરીને તેને હાઇબ્રિડ ટ્રિપ તરીકે કરવાનું નક્કી કર્યું: રાહુલ ગાંધી!

રાહુલ ગાંધીએ મણીપુરના થૌબલથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા પહેલા રાહુલ ગાંધીએ એક સભાને સંબોધિત કરતા કહ્યું કે, મણીપુરમાં ભાઈ-બહેન, માતા-પિતા આંખો સામે મર્યા અને આજસુધી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી મણીપુરમાં તમારા આંસુ લુછવા માટે નથી આવ્યા એ શરમની વાત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજ સુધી ભારતના વડાપ્રધાનને મણિપુર જવાનો સમય મળ્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મોદીજી, કદાચ મણિપુર ભાજપ અને આરએસએસ માટે ભારતનો ભાગ નથી.

 

મણિપુરમાં કોંગ્રેસના નેતાઓની ફ્લાઇટ મોડી પડી, જેના માટે રાહુલ ગાંધીએ મંચ પરથી માફી પણ માંગી. યાત્રાના પ્રારંભ પ્રસંગે રાહુલ ગાંધીએ લોકોને સંબોધતા કહ્યું કે 29 જૂનથી મણિપુરમાં શાસનનું સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગ્યું છે. સમગ્ર રાજ્યમાં નફરત ફેલાઈ છે. તેમણે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધતા કહ્યું કે આજ સુધી ભારતના વડાપ્રધાનને મણિપુર જવાનો સમય મળ્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મોદીજી, કદાચ મણિપુર ભાજપ અને આરએસએસ માટે ભારતનો ભાગ નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ઇચ્છતો હતો કે અમે પૂર્વથી પશ્ચિમ તરફની મુસાફરી કરીએ, જેમ અમે પગપાળા મુસાફરી કરીએ છીએ. લોકોએ યાત્રા શરૂ કરવા માટે અલગ-અલગ સૂચનો આપ્યા, કેટલાક પૂર્વથી અને કેટલાક પશ્ચિમથી કહેતા હતા, પરંતુ મેં કહ્યું, આગામી ભારત જોડો યાત્રા મણિપુરથી જ શરૂ થઈ શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે નફરતને નાબૂદ કરવાની અને ભારતને એક સાથે બાંધવાની વાત કરી છે. અમે આ અભિયાન ભારત જોડો યાત્રા 1 માં શરૂ કર્યું છે. લોકોએ અમને કહ્યું કે અમારે પણ પૂર્વથી પશ્ચિમ તરફની મુસાફરી કરવી જોઈએ, જેમ અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી કરી હતી. અમારી પાસે સમય ઓછો હોવાથી અમે બસોનો ઉપયોગ કરીને તેને હાઇબ્રિડ ટ્રિપ તરીકે કરવાનું નક્કી કર્યું.