છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓ પુનર્લગ્ન પછી પણ ભરણપોષણની હકદારઃ બોમ્બે હાઈકોર્ટ

કોર્ટે કેસ સાથે જોડાયેલા તથ્યો પર વિચાર કર્યા બાદ કહ્યું કે, મુસ્લિમ મહિલાઓના હકને સુરક્ષીત કરવા માટે MWPA કાયદો લાવવામાં આવ્યો છે.

Share:

 

ત્રણ તલાકનો કાયદો ખતમ થયા બાદથી કોર્ટ છુટ્ટાછેડા લીધેલી મહિલાઓના પક્ષમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. ત્યારે આ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે પણ મુસ્લીમ તલાકશુદા મહિલાઓના પક્ષમાં એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. 

કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું કે, તલાક લીધેલી મુસ્લીમ મહિલા બીજીવાર લગ્ન કર્યા પછી પણ પોતાના પહેલા પતિ પાસેથી ભરણ-પોષણ મેળવવા માટે હકદાર છે. કોર્ટે આ હક મમાટે મુસ્લિમ વુમન એક્ટ 1986 ના પ્રાવધાનને આધાર બનાવ્યો હતો. 

કોર્ટે કેસ સાથે જોડાયેલા તથ્યો પર વિચાર કર્યા બાદ કહ્યું કે, મુસ્લિમ મહિલાઓના હકને સુરક્ષીત કરવા માટે MWPA કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદો બીજીવાર લગ્ન બાદ પણ મુસ્લિમ મહિલાના ભરણ-પોષણ માટે અધિકારને સુરક્ષીત કરે છે. સુનાવણી દરમિયાન, ન્યાયમૂર્તિ રાજેશ પાટીલે કહ્યું કે, MWPA ની કલમ 3(1)(A) અંતર્ગત એવી કોઈ શરત નથી કે જે મુસ્લિમ મહિલાને પુનર્વિવાહ બાદ ભરણ-પોષણ મેળવવાથી વંચીત કરતી હોય. 

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રાજેશ પાટીલે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે, ‘મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ-1986 (MWPA)નો સાર એ છે કે છૂટાછેડા લીધેલી મહિલા તેના ભરણપોષણ માટે ભૂતપૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. તેણે ફરીથી લગ્ન કર્યા છે તેનાથી કોઈ ફરક નથી પડતો.’

ભૂતપૂર્વ પત્નીને એકસાથે ભરણપોષણ ભથ્થું આપવાના અગાઉના બે આદેશોને અરજદાર દ્વારા પડકારમાં આવ્યા હતા, ન્યાયમૂર્તિ પાટીલે અરજી નકારી કાઢી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ 3(1)(a) હેઠળ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા જ પત્ની ભરણપોષણનો દાવો કરવા માટે પૂરતા છે. આવો અધિકાર… છૂટાછેડાના દિવસે જ સ્પષ્ટ થઈ જાય છે.

કેસની જાણકારી મુજબ દંપતીના લગ્ન ફેબ્રુઆરી 2005માં થયા હતા અને ડિસેમ્બર 2005માં એક પુત્રીનો જન્મ થયો હતો. આ પછી પતિ નોકરી માટે વિદેશ ગયો હતો, જેથી જૂન 2007માં પત્ની અને તેમની પુત્રી તેના માતા-પિતા સાથે રહેવા ચાલી અગિ હતા. આ પછી, એપ્રિલ 2008 માં, પતિએ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મહિલાને છૂટાછેડા આપી દીધા.

આવી સ્થિતિમાં, મહિલાએ MWPA હેઠળ પોતાના અને તેની પુત્રીના ભરણપોષણ માટે અરજી કરી. ઓગસ્ટ 2014માં મહિલાની અરજી પર સુનાવણી કરતી વખતે, ચિપલુણ મેજિસ્ટ્રેટે તેને રૂ. 4.3 લાખનું ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મે 2017માં ખેડ સેશન્સ કોર્ટે આ રકમ વધારીને 9 લાખ રૂપિયા કરી દીધી.