India ની 8 ભૂતિયા જગ્યાઓ... વાંચો ચોંકાવનારી વિગતો!


2024/01/15 20:52:24 IST

વર ઑફ સાઇલેંસ, માલાબાર હિલ્સ, મુંબઇ

    મુંબઇના માલાબાર હિલ્સ વિસ્તારમાં આવેલી આ જગ્યા હકીકતમાં તો પારસી સમુદાયનું કબ્રસ્તાન છે. લોકોનું માનીએ તો અહીંથી પસાર થતા લોકો પાસે એક સુંદર છોકરી લિફ્ટ માંગે છે. એટલું જ નહીં કબ્રસ્તાનને અડીને આવેલા રોડ પર એક પારસી પરિવારની આત્માઓ જોયાનો પણ કેટલાકે દાવો કર્યો છે.

Credit: Google

લાંબી દેહર માઇન્સ, મસૂરી

    હવાખાવાના મશહૂર સ્થળ મસૂરીના બહારના વિસ્તારમાં સ્થિત આ જગ્યા ભૂતોનું સ્થાન હોવાનું કહેવાય છે. કહેવાય છે કે 1990ના દશકમાં જ્યારે ખાણનું કામ ચાલી રહ્યું હતુ ત્યારે અંદાજે 50 હજાર મજૂરો કામ કરી રહ્યા હતા. પરંતુ સ્ટોન માઇન્સના કારણે ફેલાયેલી બિમારીના કારણે એક પછી એક મજૂરોના મોત થવા લાગ્યા.

Credit: Google

ભાનગઢ, રાજસ્થાન

    ભાનગઢને લોકો ભૂતગઢ પણ કહે છે. આજથી બરોબર 400 વર્ષ પહેલા 17મી સદીમાં આનું નિર્માણ થયું હતું. એક કથા અનુસાર એક તાંત્રિક કિલ્લાની રાજકુમારી પર મોહિત થઇ જાય છે. અને તેને વશમાં કરવા માટે કાળાજાદુનો પ્રયોગ કરે છે. જો કે આ પ્રયોગ નિષ્ફળ જાય છે અને તાંત્રિકનું જ મોત થઇ જાય છે પરંતુ મરતા પહેલા તે શ્રાપ આપે છે કે ભાનગઢ એક જ રાતમાં સમાપ્ત થઇ જશે. સંયોગથી એક મહિના બાદ ભાનગઢ કિલ્લા પર હુમલો થાય છે અને તે હુમલામાં રાજકુમારી સાથે સાથે મહેલના બધા લોકોના મૃત્યુ થઇ જાય છે.

Credit: Google

કુલધારા ગામ, રાજસ્થાન

    રાજસ્થાનનું આ ગામ છેલ્લા લગભગ 175 વર્ષોથી વિરાન પડ્યું છે. એક સમયે કુલધારા ગામ સમૃદ્ધ હતું. લોકોના કહેવા પ્રમાણે એક દિવાન ગામની છોકરી પર મોહિત થઇને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ ગામના લોકો તેના માટે તૈયાર નહોતા. દિવાને જોરજબરસ્તી કરી તો બધા ગામવાળા કુલધારા છોડીને જતા રહ્યા.

Credit: Google

ગ્રાન્ડ પેરોડી ટૉવર, મુંબઇ

    1976માં બનેલી આ ભૂતિયા ઇમારતમાં અત્યાર સુધી 8 લોકોએ કુદીને આત્મહત્યા કરી છે. 2004માં એક વૃદ્ધ દંપતિએ બિલ્ડિંગના આંઠમા માળેથી પડતું મૂક્યું હતું. આ ઘટનાના એક વર્ષની અંદર તે પરિવારના બધા સભ્યોએ એક એક કરીને છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી. આશ્ચર્યની વાત એ છે કે મરનારામાં નાના પૌત્ર-પૌત્રીઓ પણ સામેલ હતા. ત્યારબાદ આ બિલ્ડિંગ સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાવા લાગી. લોકોમાં એવી ધારણા છે કે અદ્રશ્ય શક્તિ લોકોને આત્મહત્યા કરવા માટે ઉકસાવે છે.

Credit: Google

રાષ્ટ્રીય પુસ્તકાલય, કોલકાતા

    કોલકાતાના રાષ્ટ્રીય પુસ્તકાલયમાં અનેક પ્રકારની રહસ્યમયી ઘટનાઓ અવારનવાર જોવા મળે છે. આ પુસ્તકાલયને બનાવતી વખતે કેટલાક મજૂરોના મોત થયા હતા. અહીં કામ કરનારા ગાર્ડનું માનીએ તો આ મજૂરોની આત્મા પણ આજે પણ લાયબ્રેરીમાં ભટકી રહી છે. એવું કહેવાય છે કે દરરોજ સવારે લાયબ્રેરી ખોલવા પર પેપર અને બાકી સામાન વિખરાયેલા પડ્યા છે.

Credit: Google

તાજ હોટલ, મુંબઇ

    તાજ હોટલ, મુંબઇ

Credit: Google

તાજ હોટલ, મુંબઇ

    તાજ હોટલ, મુંબઇ

Credit: Google

View More Web Stories